માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં ઉપરથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત


SHARE













મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં ઉપરથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં કામગીરી કરતા સમયે ઉપરથી નીચે પડવાના કારણે ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક સોસાયટીમાં રહેતો ઉદયભાઈ જયંતીભાઈ વઘાડીયા (૩૦) નામનો યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સ્કોટલેન્ડ સિરામિક નામના કારખાનાની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે બપોરના સવા વાગ્યાના અરસામાં કારખાનામાં ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે

ગળેફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકની સામે આવેલ અલ્ટ્રા સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના સંતોષકુમાર વર્મા નામના ૧૮ વર્ષીય યુવાને તેના લેબર કવાટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને હાલમાં બેભાન હાલતમાં તેને શહેરના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયો છે.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.સંતોષકુમાર અહીં એકલો જ રહેતો હોય અને હાલ તે બેભાન હોય બનાવના કારણ અંગે જાણવા મળેલ નથી તેના ભાનમાં આવ્યા બાદ બનાવના કારણ અંગેની હકીકત સામે આવશે તેમ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News