મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો. ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વર્ષે શાળાનું ૯૧ ટકા પરિણામ આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે

મોરબી આવેલ સાર્થક વિદ્યામંદિર શાળાનું ધો. ૧૦ નું પરિણામ ૯૧ ટકા આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે જેમાં વાડેવડીયા પાર્થ બુટાભાઈ, ભંખોડીયા ઉદય દિલીપભાઈ, ધામેચા તનિષ્કા બળદેવભાઈ, કાથરાણી શ્રુતિ રાહુલભાઈ, ઘરસંડિયા વિશ્વા પરેશભાઈ, કાથરાણી ક્રિષા વિશાલભાઈ અને ચારણ કૌશિક શામળાભાઈનો સમાવેશ થાય છે જેથી બોર્ડની પરિક્ષાને સફળતા પૂર્વક પાર કરનારા તમામ વિદ્યાર્થીઓને સાર્થક શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા

પ્રગતિ કલાસિસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો.૧૦ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીના નગરપ્લોટ વીસી હાઈસ્સ્કુલ પાસે આવેલ પ્રગતિ કલાસિસનું ધો.૧૨ કોમર્સનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે અને તેમાં કલાસિસમાં પ્રથમ ક્રમે ૯૯.૬૯ પીઆર સાથે ગાંધી મૈત્રી, બીજા ક્રમે ૯૯.૪૪ પીઆર સાથે સાપરિયા ઈશા અને ત્રીજા ક્રમે ૯૯.૩૩ પીઆર સાથે હેડાઉ મહેક પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, કલાસિસના ગાંધી મૈત્રી, સાપરિયા ઈશા, હેડાઉ મહેક અને રાજપરા ખુશીએ આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે જયારે ગાંધી મૈત્રીએ એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૯૯ માર્ક મેળવેલ છે જેથી સંસ્થાના સંચાલક પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા






Latest News