મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું


SHARE

















વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું

 વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવીરડા ગામે કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ભીલ પરિવારના બાળક ગુમ થયું હતું જેથી બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના રાતાવિડા ગામે આવેલ શ્યામ કોલ નામના કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ લીંબ્બી તાલુકો મનાવર જીલ્લો ધાર મધ્યપ્રદેશના વતની પવનભાઈ કૈલાશભાઈ નીંગવાલે જાતે ભીલ નામના ૨૮ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશને તેનો સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિક ગત તા.૩ ના બપોરના એકાદ વાગ્યાથી ગુમ થઈ ગયો હતો જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પવનભાઈ ભીલની ફરિયાદ ઉપરથી તેના દીકરાને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં રીતિકનું અપહરણ નહીં પરંતુ મોત નીપજયું હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કારખાનામાં કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે 




Latest News