મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું


SHARE











વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું

 વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવીરડા ગામે કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ભીલ પરિવારના બાળક ગુમ થયું હતું જેથી બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના રાતાવિડા ગામે આવેલ શ્યામ કોલ નામના કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ લીંબ્બી તાલુકો મનાવર જીલ્લો ધાર મધ્યપ્રદેશના વતની પવનભાઈ કૈલાશભાઈ નીંગવાલે જાતે ભીલ નામના ૨૮ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશને તેનો સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિક ગત તા.૩ ના બપોરના એકાદ વાગ્યાથી ગુમ થઈ ગયો હતો જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પવનભાઈ ભીલની ફરિયાદ ઉપરથી તેના દીકરાને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં રીતિકનું અપહરણ નહીં પરંતુ મોત નીપજયું હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કારખાનામાં કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે 






Latest News