મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું


SHARE













વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું

 વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવીરડા ગામે કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ભીલ પરિવારના બાળક ગુમ થયું હતું જેથી બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના રાતાવિડા ગામે આવેલ શ્યામ કોલ નામના કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ લીંબ્બી તાલુકો મનાવર જીલ્લો ધાર મધ્યપ્રદેશના વતની પવનભાઈ કૈલાશભાઈ નીંગવાલે જાતે ભીલ નામના ૨૮ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશને તેનો સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિક ગત તા.૩ ના બપોરના એકાદ વાગ્યાથી ગુમ થઈ ગયો હતો જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પવનભાઈ ભીલની ફરિયાદ ઉપરથી તેના દીકરાને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં રીતિકનું અપહરણ નહીં પરંતુ મોત નીપજયું હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કારખાનામાં કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે 






Latest News