જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું


SHARE









મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મંત્રી કેશુભાઈ દેત્રોજા અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણની જાગૃતિનો સમાજમાં એક ઉમદા  સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો.. અને છોડમાં રણછોડના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતુ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્રીતીય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગદર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજામનસુખભાઇ જાકાસનીયા, પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા અને ગ્રામજનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.






Latest News