મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામની પાસે આવેલ કારખાનામાં ત્રીજા માળેથી નીચે પડેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીકના બાલાજી ઓટોપેક નામના કારખાનામાં ગઈકાલે ત્રીજા માળેથી વિનોદકુમાર રામેશ્વરભાઈ કાલી (ઉમર ૪૦) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને મોરબી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જયાં રાજકોટ ખાતે ટુંકી સારવાર દરમ્યાન વિનોદકુમારનું મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News