લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા ૨૫ જેટલા બુલેટ ડિટેઇન


SHARE

















મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા ૨૫ જેટલા બુલેટ ડિટેઇન

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને અવાજનું પ્રદુષણ ફેલાય તે રીતના સાઇલેન્સર બનાવીને વાહન ચાલકો વાહન ફેરવતા હોય છે જેથી કરીને તેવા વાહન ચાલકોની સામે પોલીસ દ્વારા હવે લાલા આંખ કરવામાં આવી છે અને આવા વાહન ચાલકોના વાહનોને ડીટેઇન કરવામાં આવી રહ્યા છે અને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી અંદાજે ૨૫ જેટલા બુલેટને પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા છે

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર બુલેટના શોખીનોની સંખ્યા વધી રહી છે તેની સાથો સાથ બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને તેમાંથી વિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ નીકળતા હોય અને અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય તેવું ઘણી જગ્યાએ સામે આવી રહ્યું છે અને ઘણી લોકોની ફરિયાદ પણ આ બાબતે પોલીસને મળતી હોય પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મોરબીના સનાળા રોડ, રવાપર રોડ સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે ત્યાંથી પસાર થતા બુલેટને રોકીને તેના સાઇલેન્સરમાં મોડીફિકેશન કરવામાં આવેલું છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવે છે અને જો કોઈવિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ માટે મોડીફિકેશન કર્યું હોય તેવું ધ્યાન ઉપર આવે તો તે વાહનોને ડિટેલ કરવામાં આવે છે આ અંગેની માહિતી આપતા ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ૨૫ જેટલા બુલેટને ડીટેઇન કરવામાં આવ્યા છે




Latest News