મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે


SHARE















મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે

મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો તેમજ ઇન્ટરવ્યૂનો કાર્યક્ર્મ યોજાયો હતો અને યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલીમ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લામાં ગઇકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરના સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યોગ ટ્રેનરના ઇન્ટરવ્યૂ ગોઠવેલ હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છના  ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીકચ્છ જિલ્લાના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યોગ ટ્રેનરના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવેલ હતા આ આયોજન મોરબી જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર વાલજી પી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં ફીટ થાય બાદ તમામ યોગ ટ્રેનર દ્વારા પોતાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરશે.તેમજ તા.૩૦ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૫ દરમિયાન યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન વિનય કરાટે એકેડમી અને ભક્તિ યોગ સેન્ટરશ્રી હરિ કૉમ્પ્લેક્સઅવની ચોકડી મોરબી ખાતે કરવામાં આવેલ છે. અને વધુ માહિતી મેળવવા માટે ૯૫૮૬૨ ૮૨૫૨૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકે જણાવ્યુ છે 






Latest News