મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE













મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબીના વોર્ડ નંબર  ૬ માં સસ્તા અનાજની દુકાન ન હોવાના લીધે લોકોને અગવડતા પડતી હોય અહીંના કાઉન્સિલર દ્વારા આ વિસ્તારમાં સસ્તા અનાજની નવી દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

ઘણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદિન સુધી નવીદુકાન ખોલવામા આવેલ નથી..! જેથી રાશનકાર્ડ ધારકોને વજેપર તથા કાલીકાપ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે અને મોંધાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે. આ વિસ્તારમા આશરે છ હજાર જેટલી વસ્તી છે અગાઉ જે દુકાનદાર પાસે આશરે ૭૦૦ (સાતસો) જેટલા કાર્ડ અન્ય દુકાનદારને તબદીલ કરી નાખેલ છે. જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહાર પાડીને નવી દુકાન ચાલુ કરવા પાલીકાના સદસ્યા જસવંતીબેન સોનગ્રાએ કલેકટરને અરજ કરેલ છે.






Latest News