મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE













મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબીના વોર્ડ નંબર  ૬ માં સસ્તા અનાજની દુકાન ન હોવાના લીધે લોકોને અગવડતા પડતી હોય અહીંના કાઉન્સિલર દ્વારા આ વિસ્તારમાં સસ્તા અનાજની નવી દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

ઘણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદિન સુધી નવીદુકાન ખોલવામા આવેલ નથી..! જેથી રાશનકાર્ડ ધારકોને વજેપર તથા કાલીકાપ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે અને મોંધાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે. આ વિસ્તારમા આશરે છ હજાર જેટલી વસ્તી છે અગાઉ જે દુકાનદાર પાસે આશરે ૭૦૦ (સાતસો) જેટલા કાર્ડ અન્ય દુકાનદારને તબદીલ કરી નાખેલ છે. જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહાર પાડીને નવી દુકાન ચાલુ કરવા પાલીકાના સદસ્યા જસવંતીબેન સોનગ્રાએ કલેકટરને અરજ કરેલ છે.






Latest News