ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE

















મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબીના વોર્ડ નંબર  ૬ માં સસ્તા અનાજની દુકાન ન હોવાના લીધે લોકોને અગવડતા પડતી હોય અહીંના કાઉન્સિલર દ્વારા આ વિસ્તારમાં સસ્તા અનાજની નવી દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

ઘણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદિન સુધી નવીદુકાન ખોલવામા આવેલ નથી..! જેથી રાશનકાર્ડ ધારકોને વજેપર તથા કાલીકાપ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે અને મોંધાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે. આ વિસ્તારમા આશરે છ હજાર જેટલી વસ્તી છે અગાઉ જે દુકાનદાર પાસે આશરે ૭૦૦ (સાતસો) જેટલા કાર્ડ અન્ય દુકાનદારને તબદીલ કરી નાખેલ છે. જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહાર પાડીને નવી દુકાન ચાલુ કરવા પાલીકાના સદસ્યા જસવંતીબેન સોનગ્રાએ કલેકટરને અરજ કરેલ છે.




Latest News