ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.૩૧-૭ ના રોજ કરવામાં આવ્યું છે.તેમજ 'સરસ્વતી સન્માન' કાર્યક્રમના નેજા હેઠળ ધો.૧ થી ૧૨ ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખે યાદીમાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૯ ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો.૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૦-૭ થી ૨૩-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.

વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.૧૭-૭ ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૫-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.ઉપરોકત બંને બાબતો માટેની વધુ માહીતી માટે મોબાઈલ નં.૯૮૭૯૯ ૯૩૭૦૫ અથવા ૭૦૫૯૦ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News