ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.૩૧-૭ ના રોજ કરવામાં આવ્યું છે.તેમજ 'સરસ્વતી સન્માન' કાર્યક્રમના નેજા હેઠળ ધો.૧ થી ૧૨ ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખે યાદીમાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૯ ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો.૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૦-૭ થી ૨૩-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.

વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.૧૭-૭ ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૫-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.ઉપરોકત બંને બાબતો માટેની વધુ માહીતી માટે મોબાઈલ નં.૯૮૭૯૯ ૯૩૭૦૫ અથવા ૭૦૫૯૦ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News