મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષને નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કર્યું વૃક્ષારોપણ


SHARE

















વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષને નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કર્યું વૃક્ષારોપણ

વાંકાનેર તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકે, આચાર્ય, સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે વિવિધ હોદા પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પ્રકૃતિ પ્રત્યે ઋણ ચૂકવવા હાલ જ્યારે ગ્લોબલ વોર્મિંગ કારણે દિન પ્રતિદિન પૃથ્વીનું વાતાવરણ વધતું જાય છે ત્યારે વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે વૃક્ષોનું મહત્વ સમજી અશોકભાઈ સતાસીયાએ નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ મોટા મોટા વૃક્ષો પીંજરા સાથે વાવીને ત્રીસ વર્ષની સફળ સર્વિસની વિશિષ્ટ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મહાવીરસિંહ ઝાલા, વનુભાઈ સુરેલા, હસુભાઈ મકવાણા, વાંકાનેર બી.આર.સી.કો.ઓ. મયુરસિંહ, એસ.એમ.સી ચંદુભાઈ ફાંગલિયા અને નાનુભાઈ ફાંગલિયા, સદભાવનામાંથી મુકેશભાઈ ડોબરીયા શાળાના શિક્ષક હસુભાઈ મકવાણા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલાના સંગઠન મંત્રી ક્રિષ્નાબેન કાંસુંદ્રા અને રાધિકાબેન વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા




Latest News