મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી - ફરિયાદ નોંધાઈ


SHARE













મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી ; ફરિયાદ નોંધાઈ

મોરબીના સોની બજાર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સામસામે મારામારી થયા બાદ ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આવેલ ગ્રીનચોક પાસે સોની બજારની પારેખ શેરીના શ્રીજી એપાર્ટમેન્ટમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી માધુરીબેન ડેનીશભાઈ સોની (૨૫) અને સામેના પક્ષના ક્રિપાલસિંહ તખુભા પરમાર (૩૫) અને જીનલબેન કલ્પેશ ચૌહાણ (૨૨) નામના ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ બનાવ અંગે રસીલાબેન હરેશભાઈ છબીલભાઈ પાટડીયા સોની (૪૫) રહે.શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરીવાળાએ સામેવાળા ક્રિપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓની દિકરી માધુરીબેનની સાથે સામેવાળા ઝઘડો કરતા હોય અને તેમની દીકરીને માર માર્યો હતો.જ્યારે સામાપક્ષેથી ક્રિપાલસિંહ પથુભા પરમાર જાતે દરબાર (૩૫) રહે. શ્રીજી એપાર્ટમેન્ટ પારેખશેરી વાળાએ માધુરીબેન ડેનીશભાઈ સોનીના સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની દિકરી માધવીબેન સાથે સામેવાળા માધુરીબેને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેણીને મૂઢ માર માર્યો હતો જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવરાજભાઈ જશાભાઇ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ આમરણ ગામ પાસે આવેલ બજરંગ હોટલ પાસેથી તેઓનું બાઇક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાછળ રહેતા કેતારીલાલ બાલકિશન રામ નામના ૪૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં|

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અશ્વિન છગનભાઈ જાકાસણીયા નામનો ૩૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.








Latest News