ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક


SHARE













મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાનીની સતત બીજા વર્ષે અન્ડર-૧૯ સિનિયર મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3 માં પસંદગી થઈ છે.  જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે ICC લેવલ 3ની તાલીમ મેળવશે.  

મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના કોચ નિશાંત જાનીએ મોરબીમાં ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢ્યું છે. તેઓ આઈસીસી લેવલ 2ના કોચ અને બીસીસીઆઈ સર્ટિફાઈડ પેન કોચ છે. વર્ષ  2019-20 ની સીઝનમા વિનુ માંકડ અન્ડર-૧૯ ટ્રોફી અને રણજી ટ્રોફીમા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કોચ તરીકે કાર્યરત હતા અને એ સમયે ટીમની ઐતિહાસિક જીત પણ થઈ હતી.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૧-૨૨ સીઝનમા પણ નિશાંત જાનીને સિનિયર ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષમા અન્ડર -૧૯, અન્ડર -૨૩ અને મહિલાઓની સિનિયર ટીમ આ વર્ષ G1 ટુર્નામેન્ટ રમશે. ત્યારબાદ ટી-20 ટુર્નામેન્ટ અને વન ડેમાં ભાગ લેશે. જેને ધ્યાને લેતા આ સિઝનમાં રસાકસીનો રંગ જામશે. આ ઉપરાંત આ વર્ષે મહિલા આઇપીએલ પણ શરુ થવા જઈ રહી છે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ મહિલા ક્રિકેટરની પસંદગી તેમાં થાય તેવો આશાવાદ પણ નિશાંત જાનીએ વ્યક્ત કર્યો હતો.  આ તકે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, લેવલ ૩ ના ફેકલ્ટી હિતેશ ગોસ્વામી, એમના ગુરુ ઉમેશ પટવાલ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News