ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા


SHARE











મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા

દેપાળીયાના રામધામ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં સંત નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પુરી કરવા અખંડ રામનામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવા સુદ-૯ ને તા.૫ થી વાવડી રોડ ખાતે આવેલા ગોકુલફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે રામનામ જપ મહાયજ્ઞ રાખવામા આવેલ છે અને ૧૩ મહિના સુધી તે ચાલશે.

મોરબીમાં યોજાનાર અખંડ ધુન નિમિતે પંચકુંડી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, અખંડજયોત શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજાપુજન, જ્ઞાનસભા, સંત સમારોહ સ્ટેજ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે અને ત્યાં સવારે ૫થી બપોરના ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ ચાલશે તેમજ રાજપર ગામથી અખંડ જયોત સાથે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શોભાયાત્રા નીકળશે અને બપોરે ૧:૩૦થી ૩:૦૦ વાગ્યા સુધી હનુમાન ચાલીસા પઠન, બપોરે ૩:૩૦ થી ૬:૪૫ વાગ્યા સુધી જ્ઞાનસભા અને સાંજે ૬:૪૫ વાગ્યેથી અખંડ રામધુન પ્રારંભ થશે. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. અત્રે ઉલેખનીય છે કે, ૧૩ મહિનાની રામનામ ધુનનું આયોજન કરાયું છે. તેમાં ૬૦ ગામોમાં રામધુન મંડળને આમંત્રણ આપવામાં આવશે અને દરરોજ બે ગામ લાભ લેવા માટે આવશે તેની સાથોસાથ મોરબીની ૧૫ સોસાયટીમાંથી લોકો ત્યાં આવશે






Latest News