મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત


SHARE







મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા વિરુદ્ધમાં કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેના દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો સભાઓમાં કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

મોરબીના શનાળા રોડ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધીની સર્વ હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવા સભાઓમાં ભાષણો કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેરે છે તેવો આક્ષેપો કર્યો છે અને બીએનએસ ની કલમ 196 મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં આવેદનપત્ર આપવા માટે આવેલા આગેવાનો પૈકી આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ કહ્યું હતું કે, તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ પનારા સહિત 7 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી તે ગુનામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી. જેથી તાત્કાલિક તમામની ધરપકડ કરવાની તેવી માંગ કરી છે.






Latest News