સહકારી ક્ષેત્રમાં રાજનીતિ કરવાની ન હોય માત્ર ખેડૂતોના હિતનું જ કામ કરવાનું હોય: જયેશભાઇ રાદડિયા
વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા
SHARE
વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા
વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા પણ ભાટિયા ચોક કા રાજા ગણપતિ ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમોમાં હાજર છે અને શનિવારે રાતે ગુજરાતની પ્રખ્યાત બાળ કલાકાર યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની દ્વારા દિવ્ય અને અલૌકિક આરતી કરવામાં આવી હતી અને ત્યારે બાદ તેને લોકોની સમક્ષ જોરદાર પરફોર્મસ પણ આપ્યું હતુ આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા વાળા પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ભાટિયા ચોક કા રાજાની આરતીનો લાભ લીધો હતો તેની સાથે દાંડીયા રાસની હરીફાઈ રાખવામા આવી હતી જેમાં ભાગ લેનાર બહેનોમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૫૧૦૦, ૩૧૦૦ અને ૨૧૦૦ પુરસ્કાર મહારાણા કેસરીદેવસિંહજી અને ધ્યાની જાનીના આપવામાં આવ્યું હતું