મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

સહકારી ક્ષેત્રમાં રાજનીતિ કરવાની ન હોય માત્ર ખેડૂતોના હિતનું જ કામ કરવાનું હોય: જયેશભાઇ રાદડિયા


SHARE















સહકારી ક્ષેત્રમાં રાજનીતિ કરવાની ન હોય માત્ર ખેડૂતોના હિતનું જ કામ કરવાનું હોય: જયેશભાઇ રાદડિયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરડીસી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે જયેશભાઇ રાદડિયાએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે ઘણા બધા હિસાબો કરવામાં આવતા હોય છે જો કે, સહકારી ક્ષેત્ર હમેશા ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા છે માટે તેમાં રાજનીતિ કરવાની ન હોય અને જે લોકો લોન માંગે તેને બેંકના મેનેજર મારફતે જ લોન મળી જાય તેવી વ્યવસ્થા અમે લોકોએ ઊભી કરલે છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં મોરબી જિલ્લા મહિલા  સહકારી દૂધ ઉત્પાદન સંઘ, મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, મોરબી માળીયા પ્રોસેસિંગ કો-ઓપ. સોસાયટી, મોરબી વિભાગ સેવા સહકારી મંડળી, ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી અને મોરબી માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ શરાફી સહકારી મંડળી આમ જુદીજુદી સાત સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, આરડીસી બેંકના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, આરડીસી બેંકના ડીરેક્ટર અમૃતલાલ વિડજા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, આરડીસી બેંકના ડીરેક્ટર ધનજીભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ત્યારે બ્રિજેશભાઇ મેરજાએ વર્ષો પહેલા તેઓ જયારે વલ્લભભાઇ પટેલના પીએ હતા ત્યારે શું પરિસ્થિતી હતી અને આજે સુધી સ્થિતિ છે જેની માહિતી સભામાં હાજર રહેલા ખેડૂતોને આપી હતી તેમજ મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે મયુર ડેરી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ટેન મંત્રી તરીકે બિરદાવી હતી ત્યાર બાદ આરડીસી બેંકના ચેરમેન અને રાજ્યના માજી મંત્રી જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને  સંબોધતા કહ્યું હતું કે, સભાસદોને અનેકવિધ સેવાઓનો લાભ હાલમાં આપવામાં આવી રહ્યો છે અને સહકારી ક્ષેત્ર જે ખેડૂતોના હિત માટે કામ કરે છે તેમાં રાજનીતિ કરવાની ન હોય તેમ તો માત્ર ને માત્ર ખેતીની વૃદ્ધિ અને ખેડૂતોની સમૃદ્ધિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાનું હોય છે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે ઘણા હિસાબો કરવામાં આવે છે જો કે, બેકના સભાસદોને લોન લેવામાં હેરાન થવુ ન પડે અને તેમાં રાજનીતિ ન આવે તે માટે ૨૦૦ જેટલી બ્રાન્ચના મેનેજરો સીધી સભસદોને લોન આપે તેવી વ્યવસ્થા આરડીસી દ્વારા ઊભી કરવામાં આવી છે જેથી આજની તારીખે રાષ્ટ્રીય કૃત બેન્ક કરતાં આરડીસીમાંથી ખેડૂતોને ઝડપીથી લોન મળી જાય છે






Latest News