મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ


SHARE











મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વીરાંજલિ રજૂ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, વીરાંજલિ સમિતિ પ્રેરિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૭ સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે અને પોતાના અલગ અંદાજમાં વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના શહીદ વીરોને વીરાંજલિ અર્પણ કરશે જેમાં પધારવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિગ્નેશભાઈ કૈલા, ટંકારા તાલુકા ભાજપના પ્રભારી રવિભાસનાવડા સહિતનાઓએ મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના લોકોને આમંત્રણ પાઠવ્યૂ છે






Latest News