મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી


SHARE











મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી

સૌરાષ્ટ્રનું એક વખતનુ પેરિસ કહેવાતું મોરબી આજે ભાજપ શાસિત નગરપાલિકાએ નર્કાગાર સમાન બનાવી દીધું છે અને ચોમેર રસ્તા તૂટેલા હોવાથી સતત ધૂળની ડમરીઓના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી ઘૂળ્યું નગર બની ગયું છે તે કેમ મંત્રીને દેખાતું નથી તેવો અણીદાર સવાલ કોંગ્રેસનાં આગેવાને કર્યો છે

મોરબી શહેરની હાલત જોઈને હવે તો લોકો રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવે છે તેવું મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે તેઓએ કહ્યું છે કે, હાલમાં શહેરનો એક પણ રસ્તા ચાલવા લાયક નથી !, જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને અઘુરામાં પૂરું ખાડા બુરવાનુ કામ કરવામાં આવે છે તેમાં પણ ખાલી ઘૂળ નાખી ખાડા બુરવામાં આવે છે જેથી કરીને શહેરના દરેક માર્ગ ઉપર સતત ધૂળની બારીક રજકણો જે લોકોના સ્વસ્થ્યને ભયંકર નુક્ષના કરે છે તે ઊડતી હોય છે ત્યારે એસી ગાડીમાં કાચ બંધ રાખીને નીકળતા મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ જો શહેરના માર્ગો ઉપરથી ચાલીને નીકળે તો તેને ખ્યાલ આવે કે હાલમાં લોકોને કેટલી હેરાગતિ છે શહેરમાં ઘૂળ ઉડવાના કારણે વેપાર ઘઘાં કરતા વેપારી તેમની દુકાનમાં બેસી શકતા નથી અને જે લોકોને શ્વાસની કે ફેફસાંની બ્ર્મરી હોય તેના માટે આ ઊડતી ડમરીઓ જીવલેણ સાબિત થાય તેમ છે તેથી મોરબીના લોકોના આરોગ્યની ચિંતા હોય તો તાત્કાલિક ઘૂળ ઊડતી બંધ કરવા માટેની નક્કર કામગીરી કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ  ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે

 






Latest News