હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી
SHARE
હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી
યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા દ્વારા કોંગ્રેસ છોડીને ગયેલા હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી ઘણા આગેવાનો ભાજપમાં જઇ રહ્યા છે તેવામાં યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અને વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ પર ઘણા આક્ષેપ કર્યા છે અને વિશ્વનાથસિંહ વાઘેલાએ હજુ ઘણા રાજીનામાં પડશે તેવું નિવેદન આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ કોંગ્રેસ છોડીને ગયેલા વિશ્વનાથસિંહ વાઘેલાને જવાબ આપતા કહ્યું છે કે, તેને કોંગ્રેસીઓનું અપમાન કર્યું છે ત્યારે આગામી દિવસોમાં હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવામાં આવશે અને તેને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે
#hardikpatel #congress #bjp #vishvanathsinh