મોરબીમાં વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને માર મરનારા ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને માર મરનારા ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન-૧ માં દૂધની ડેરી પાસે ભાઈ અને મિત્ર સાથે ઉભેલા યુવાન પાસે ત્રણ શખ્સો આવ્યા હતા અને મારા ભત્રીજાની પત્નીને કેમ વ્હોટ્સએપમાં મેસેજ કરે છે તેવું કહીને તેને લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ઈજા ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન-૧ માં મોમાઈ દૂધની ડેરી પાસે તેના ભાઈ આશિષભાઈ અને દીપકસિંહ સાથે થોડા દિવસો પહેલા ઊભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ રહે બંને મકનસર અને સુરેશભાઈ આ ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડએ હિતેશને “કેમ મારા ભત્રીજાની પત્નીને મોબાઇલમાં વ્હોટ્સએપમાં મેસેજ કરે છે” તેવું કહીને વજાભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને કમલેશભાઈ તેમજ સુરેશભાઈએ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ કમલેશભાઈએ હિતેશભાઈ ભૂંભારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી હિતેશભાઈએ સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અનિલ ઉર્ફે કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ (૨૨) રહે મકનસર વાળાની ધરપકડ કરી છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









