મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના NRIની રાજકોટ ખાતેની જમીન ભળતા નામના આધારે પચાવી પાડવાના કારસા સામે પોલીસમાં રાવ


SHARE











મોરબીના NRIની રાજકોટ ખાતેની જમીન ભળતા નામના આધારે પચાવી પાડવાના કારસા સામે પોલીસમાં રાવ

રાજકોટ જીલ્લાનાં રોજકોટ તાલુકાનાં ગામ વાજડી વીરડાનાં રે.સ.નં .૫૧ ની બીનખેડવાણ જમીન જે "ગોપપાર્ક" તરીકે ઓળખાય છે.જેમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર ૨૬ ની ખુલ્લી જમીન ચો.મી.૧૬૭-૨૨ જેનાં ચો.વા.આ.૨૦૦-૦૦ નાં ક્ષેત્રફળની મીલ્કત ધીરજલાલ ભાણજીભાઈ વડાલીયાનાં કુલમુખત્યાર સુભાષ શાંતિલાલ ડોડીયા પાસેથી મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા (એન.આર.આઈ) રહે.મોરબી સાવસરપ્લોટ વાળાએ રજી.વે.દ.અનું.નં .૧૩૪૮૦ તારીખ ૧૬-૧૧-૧૯૮૯ નાં રોજથી ખરીદ કરેલ છે

ત્યારબાદ મોરબીનાં મહેન્દ્રભાઈ જેઓ જમીન મકાનની દલાલી કરતાં હોય તેઓ સને ૨૦૦૮-૨૦૦૯ નાં અરસામાં મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતાનાં દિયર સ્વ.સતિષભાઈ હેમચંદભાઈ મહેતા તથાં સ્વ.વિનયકાંતભાઈ હેમચંદભાઈ મહેતાનાં નામે આવેલ વીરડાવાજડી ગામમાં બીનખેતી થયેલ જમીન જે ડ્રાઈવીન પાર્કનાં નામે ઓળખાતા વિસ્તારના પ્લોટ નંબર ૨૪ તથાં ૨૫ નું આશરે ૨૦૦૮ ની સાલમાં વેચાણ કરાવી આપેલ હતું. ત્યારબાદ, થોડા સમય પછી મહેન્દ્રભાઈ મીલ્કતનાં માલીકનાં ઘરે આવી સંપર્ક કરેલ અને તેઓએ મીલ્કતનાં માલીકનાં પતિને જણાવેલ કે તમારા બન્ને ભાઈઓનાં પ્લોટનું વેચાણ કરાવી આપેલ છે.તમારા પ્લોટ નં.૨૬ નું વેચાણ કરવું હોય તો જણાવશો.મીલ્કતનાં માલીક તથાં તેમનાં પતિએ આ બાબતે સ્પષ્ટ 'ના' પાડેલ હતી કે અમારે સદરહ પ્લોટ નં .૨૬ નું વેચાણ કરવું નથી.

ત્યારબાદ મહેન્દ્રભાઈએ ફરી થોડા દિવસ બાદ મીલ્કતનાં માલીકનો સંપર્ક કરેલ અને કોઈ નકશો બતાવેલ અને જણાવેલ કે તમારો પ્લોટ ન્યારી ડેમમાં ડૂબમાં ગયેલ છે.જેથી આની સહાય સરકાર પાસેથી મેળવવા તમારી મીલ્કતની ફાઈલ જોશે તેવું કહેતા સદર મીલ્કતની અસલ ફાઈલ તેઓ લઈ ગયા અને ત્યારબાદ મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા જેઓ એન.આર.આઈ. હોય તેવો લંડન જતા રહેલ તે અરસામાં મહેન્દ્રભાઈ દલાલ અને મીલ્કતનાં માલીકનાં ભડતા નામો વાળી વ્યકિત એવા અન્ય મીનાબેન નરેન્દ્રભાઈ મહેતા તથાં તેમનાં પતિ નરેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા જેઓ હાલ મોરબી મુકામે અરૂણોદય નગર બ્લોક નંબર ૧૦૫ સામાકાંઠે મોરબી-૨ માં રહેતા હોય તથાં અન્ય વ્યકિતઓએ મેળાપીપણુ કરીને ઉપરોકત મીલ્કતનું ગેરકાયદેસર રીતે બોગસ બનાવટી દસ્તાવેજ ઉભો કરી ઠગાઈ, કુટલેખન કરી અપ્રમાણીક રીતે રજી.વેચાણ દસ્તાવેજ અનું.નં .૧૪૭૩૯ , તારીખ ૩૧-૮-૨૦૧૦ નાં રોજથી રાજકોટનાં રહેવાસી ગીરીશભાઈ મોહનભાઈ ચોવટીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે.

આમ આ મીલ્કતનું બારોબાર વેચાણ કરી નાંખેલ છે.આ કામનાં ખરા અને મૂળ માલીક મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા હાલ રહે.સાવસર પ્લોટ મોરબી વાળાઓને રાજકોટ સીટી સર્વે કચેરી તરફથી ૧૩૫ ડી ની નોટીશ મળતાં આ બાબત તેઓનાં ધ્યાનમાં આવતાં તેઓએ તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૦૬, ૪૧૬, ૪૧૭, ૪૨૦ વિગેરે મુજબની ફોજદારી ફરીયાદ રાજકોટ પોલીસ કમીશ્નરમાં કરેલ છે.તથાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે.સદરહું ફરીયાદીનાં એડવોકેટ તરીકે રાજકોટનાં નામાંકીત વકીલ રાજેશ યુ.પાટડીયા તથાં મોરબીનાં નામાંકીત વકીલ મોહીત એન. મહેતા રોકાયેલ છે.






Latest News