માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ


SHARE











માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ

માળીયા (મી.) તાલુકામાં ચાલુ વર્ષે સતત વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેથી કરીને આ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપીને રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ તકે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, સતિષભાઈ વામજા, માળીયા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અશોકભાઈ કૈલા, બળદેવભાઈ દેત્રોજા, ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ દેત્રોજા સહિતના હાજર રહ્યા હતા અને રજૂઆત કરેલ છે કે, સતત વરસાદ પડવાના લીધે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. અને જેને વાવણી કરેલ છે તે નિષ્ફળ ગયેલ છે જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને માળીયા (મી.) તાલુકાને સંપૂર્ણ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરેલ છે અને જો યોગી નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News