માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે મોરબીમાં આયુષ્ય યજ્ઞ યોજાયો અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે આ આયુષ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ઉજવણીઓ કરવામાં આવી રહી છે અને તેઓના જન્મદિવસની સેવા કાર્ય થકી તેમજ હોમ હવન, પૂજન અર્ચન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહે છે ત્યાં તેઓના નિવાસ્થાને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની હાજરીમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે થઈને કાંતિભાઈ અને તેના પરિવાજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે તેઓને છેલ્લા ૪૩ વર્ષથી સંબંધ છે અને તેમણે જન્મ પરિવાર નહીં પરંતુ દેશ માટે થયો છે જેથી કરીને તેના દિર્ધાયું માટે કાંતિભાઈ તેમજ અમૃતિયા પરિવાર દ્વારા તેઓના આંગણે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈશ્રી તેમજ તેઓની સાંદિપની વિદ્યાપીઠના ભૂદેવો દ્વારાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી લોકો હાજર રહ્યા હતા






Latest News