મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો


SHARE















મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો

મોરબીની સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓએ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું અને આઉટસોર્સિંગના કર્મીઓને કાયમી કર્મચારીઓને મળતાં લાભો આપવા અને યોગ્ય પગાર નીતિ માટે રજૂઆત કરી હતી

મોરબી જીલ્લામાં મોટાભાગની કચેરીઓ આઉટસોર્સિંગના સ્ટાફ આધારે જ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ગુજરાતમાં કરાર આધારિત, આઉટસોર્સ કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગેની નીતિ નથી. જેથી તેની સાથે અન્યાય થાય છે. ત્યારે તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેને સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ જીપીએફ અને સીપીએફનાં લાભો આપવાની પણ માંગ કરી છે વધુમાં તેઓએ એવિ પણ રજૂઆત કરી હતી કે, આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને સરકાર ૧૫૦૦૦ લેખે પગાર આપે છે જો કે, એજન્સી ૪૦૦૦ થી ૮૦૦૦ સુધીનું વેતન પે  છે અને પીએફ પણ ઘણી એજન્સી દ્વારા જમાં કરવામાં આવતું નથી. જેથી આઉટસોર્સિગના કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આઉટસોર્સિગના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત નહીં પણ સીધું જ પેમેન્ટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News