મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ


SHARE







મોરબીમાં છેલ્લી ઘડિએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ

મોરબી શહેરમાં આજે સાંજે ચાર વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં રોડ શો યોજાવાનો છે તેના માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી જો કે, છેલ્લી ઘડીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાના રોડ શોનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખજી દુર્લભજીભાઈ દેથરીયાના જણાવ્યા મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની હાજરીમાં આજે રોડ શો યોજવાનો છે તેના માટે જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાવા છે જેનો રૂટ ચેન્જ કરવામાં આવેલ છે પહેલા આ રોડ શો શનાળા રોડ સમયના ગેઇટ પાસેથી શરૂ કરીને રામ ચોક ત્યાંથી જૂના બસ સ્ટેશન, નહેરૂ ગેઇટ ચોક, શાક માર્કેટ ચોક અને પાલિકા કચેરી પાસે તે પૂરો થવાનો હતો જો કે, છેલ્લી ઘડીએ રોડ શોના રૂટને ચેન્જ કરવામાં આવેલ છે અને ટૂંકાવી નાખવામાં આવ્યો છે જેથી કરીને આ મુદે દુર્લભજીભાઈ દેથરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાનો એક કલાકનો જ સમય મળ્યો છે જેથી કરીને સમયના અભાવના લીધે શનાળા રોડ સમયના ગેઇટથી શરૂ કરીને સીધા જ પાલિકા કચેરી થઈને શાક માર્કેટ ચોક સુધી જશે અને ત્યાં રોડ શો પૂરો કરવામાં આવશે ત્યારબાદ ત્યાંથી જે.પી.નડ્ડા સહિતના આગેવાનો જેલ રોડ થઈને ફરી પાછા રાજકોટ તરફ જવા માટે રવાના થઇ જશે






Latest News