વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?


SHARE













વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને તેની હાજરીમાં ગાંધીનગર ખાતે મેયર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને તેઓએ ખાસ કરીને સિટી બ્યુટીફીકેશનની વાત ઉપર ભાર મૂક્યો હતો અને દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે ઈનામ પણ આપવામાં આવે તેવું લાગણી વિકટ કરી હતી જો કે, આ વાત મોરબી સુધી પહોચશે કે કેમ તે પ્રશ્ન છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને આજે સાંજે મોરબીમાં તેમનો રોડ શો યોજાવાનો છે જો કે તે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગાંધીનગરમાં નમો કિસાન પંચાયત, મેયર સમિટ અને રાજકોટમાં જનપ્રતિનિઘિ સંમેલન સહિતના કાર્યક્રમ યોજવાના છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ મેયર સમિટમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને ત્યારે તેઓએ ગુજરાતમાં છેવાડાના લોકો સુધી પહોચવા માટેના જુદાજુદા સૂચનો કર્યા હતા તેની સાથોસાથ તેઓએ પિન્ક સિટી તરીકે જાણીતા જયપુરને યાદ કરીને કહ્યું હતું કે, સિટી બ્યુટીફીકેશનની દિશામાં દરેક લોકોને કામ કરવાની જરૂર છે અને તેઓએ વધુમાં કહ્યું હતું કે, શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે જુદાજુદા ઈનામ વેપારીઓ, સ્થાનિક લોકો તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવે તો તેના સારા પરિણામો મળી શકે તેમ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે, મોરબી મહાપાલિકા નથી પરંતુ શહેરના બ્યુટીફીકેશન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા જે વાત કરવામાં આવી છે તેનું અમલીકરણ કરવાની દિશામાં મોરબીના આગેવાનો, હોદેદારો અને પાલિકાના સત્તાધીશોએ કામ કરશે કે કેમ તે તો આગામી  સમય જ બતાવશે






Latest News