મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?


SHARE













વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને તેની હાજરીમાં ગાંધીનગર ખાતે મેયર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને તેઓએ ખાસ કરીને સિટી બ્યુટીફીકેશનની વાત ઉપર ભાર મૂક્યો હતો અને દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે ઈનામ પણ આપવામાં આવે તેવું લાગણી વિકટ કરી હતી જો કે, આ વાત મોરબી સુધી પહોચશે કે કેમ તે પ્રશ્ન છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. અને આજે સાંજે મોરબીમાં તેમનો રોડ શો યોજાવાનો છે જો કે તે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગાંધીનગરમાં નમો કિસાન પંચાયત, મેયર સમિટ અને રાજકોટમાં જનપ્રતિનિઘિ સંમેલન સહિતના કાર્યક્રમ યોજવાના છે ત્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ મેયર સમિટમાં વર્ચ્યુયલ રીતે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ જોડાયા હતા અને ત્યારે તેઓએ ગુજરાતમાં છેવાડાના લોકો સુધી પહોચવા માટેના જુદાજુદા સૂચનો કર્યા હતા તેની સાથોસાથ તેઓએ પિન્ક સિટી તરીકે જાણીતા જયપુરને યાદ કરીને કહ્યું હતું કે, સિટી બ્યુટીફીકેશનની દિશામાં દરેક લોકોને કામ કરવાની જરૂર છે અને તેઓએ વધુમાં કહ્યું હતું કે, શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા માટે હરીફાઈ કરવામાં આવે અને તેના માટે જુદાજુદા ઈનામ વેપારીઓ, સ્થાનિક લોકો તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવે તો તેના સારા પરિણામો મળી શકે તેમ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે, મોરબી મહાપાલિકા નથી પરંતુ શહેરના બ્યુટીફીકેશન માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા જે વાત કરવામાં આવી છે તેનું અમલીકરણ કરવાની દિશામાં મોરબીના આગેવાનો, હોદેદારો અને પાલિકાના સત્તાધીશોએ કામ કરશે કે કેમ તે તો આગામી  સમય જ બતાવશે






Latest News