મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કના એટીએમને તોડીને રોકડ રકમની ચોરી કરવાનો એક શખ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રૂપિયાની ચોરી તે શખ્સ કરી શક્યો ન હતો પરંતુ હાલમાં એટીએમ મશીનને તોડનારા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ ભૂમેશ્વરી વાડી મેઇન રોડ ઉપર રેલવે ફાટક પાસે રહેતા ધવલભાઇ વિનોદભાઈ સાપરિયા જાતે પટેલ (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન જાદવ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તા. ૧૯ ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેલ કંપનીના પેટ્રોલ પંપની સામેના ભાગમાં એક્સિસ બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથોડી, ટાંકણી, છરી જેવા હથિયારો મળી આવ્યા હતા આ શખ્સ દ્વારા એટીએમ મશીનને તોડવામાં આવ્યું હતું જોકે તેમાં રાખેલ રોકડ રકમની ચોરી તે કરી શક્યો ન હતો અને હાલમાં ધવલભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે આ ગુનામાં સીસીટીવી ફૂટેજો સહિતના પુરાવાઓને ધ્યાને લઈને પીઆઇ એમ.આર.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી.રાણા સહિતના સ્ટાફે મિલન પોપટભાઇ જાદવ (૨૮) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર-૪ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરેલ છે.

યુવાનનો આપઘાત

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ ઉપર ભીમસરમાં રહેતા નાનજીભાઈ છનાભાઇ ચૌહાણ જાતે ભીલ નામના ૩૮ વર્ષીય યુવાનની શ્વાસની બીમારીની તેમજ માનસિક બીમારીની દવા ચાલુ હોય બીમારીઓથી કંટાળી જઈ તેણે ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા રતનબેન ખુશાલભાઈ મોડીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે કંકાવટી ગામે સબ ડિવિઝન નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News