મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા


SHARE













મોરબીનું તંત્ર ૩૬૫ દિવસ હાલમાં કરી તેવી કામગીરી કરે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવવું ન પડે: કે.ડી. બાવરવા

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવ્યા તે મોરબીના લોકોના અહોભાગ્ય કહેવાય કારણ કે નડ્ડાની મુલાકાતના કારણે તંત્ર દ્વારા ૨૪ કલાકના ટુકા સમયમાં રોડ રસ્તાના ખાડા રીપેર કરી રસ્તો સારો બનાવવામાં આવ્યા હતા, ગટરો સફાઈ અને રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને પોતાની કામ કરવાની ક્ષમતાનો લોકોને પરિચય આપ્યો હતો જો કે આવી કામગીરી ૩૬૫ દિવસ અને ૨૪ કલાક મોરબીના લોકો કે જે પાલિકામાં અને સરકારમાં ખૂબ જ મોટો ટેક્સ આપે છે તેના માટે કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ ઈન્ટર નેશનલ હુમાન રાઈટ સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કરેલ છે

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો જે.પી.નડ્ડા દર મહીને મોરબીની મુલાકાતે આવે તો દર વખતે જુદા જુદા રોડ ઉપર રોડ શો રાખવામા આવે તો મોરબીના લોકોના ઘણા વધ પ્રશ્નો કે જે વર્ષોથી ઉકેલતા નથી તે ઉકેલાઈ જાય તેમ છે જેથી કરીને વારંવાર મોરબીની મુલાકાત કરવામાં આવે તેવી માંગ કરી છે સાથોસાથ જે તંત્ર ૨૪ કલાકમાં નેતાના આગમન પહેલા રોડ બનાવી શકે છે અને રૂડું રૂડું બતાવવા માટે કામ કરે છે તેવી જ કામગીરી કાયમી ધોરણે કરવામાં આવે તો કદાચ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટણી પહેલા મોરબીની મુલાકાતે આવ્યું પડ્યું ન હોત તે પણ હકકીત  છે અને હાલમાં જે ક્ષમતા સાથે કામ કરવામાં આવ્યું છે તે ક્ષમતા મુજબ જો વર્ષના ૧૦૦ દિવસ પણ કામ કરવામાં આવે તો મોરબીને ફરીથી સોંરાષ્ટ્ર નું પેરીસ બનતા કોઈ રોકી શકે નહીં તે નિશ્ચિત છે અંતમાં હાલમાં જે તાબડતોબ રસ્ત બનેલ છે તેના માટે તેઓએ કહ્યું છે કે, હવે આ રોડ તુટશે નહી તેવી આશા છે જો કે, એક વરસાદમાં પાછો આવી તો હાલમાં કરવામાં આવેલ કામગીરીની ગુણવતા ચેક થઈ જાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News