મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ


SHARE







વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા.૧૧ ના રાત્રીના એક વાગ્યે વાંકાનેર અમરનાથ સોસાયટીના નાકે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાની પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયા રહે. વાંકાનેર વાળાએ છરી ગુપ્તીથી આડેધડ ધા મારી હત્યા કરી હતી આ બનાવમાં આરોપી ઇમરાન તથા ઇનાયતને પોલીસે અટક કરીને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આ ગુનાની તપાસ સીપીઆઈ બી.પી.સોનારાને સોપવામાં આવી હતી અને આ ગુનામાં નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રહે. આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે વોચ રાખી હતી અને ત્યાંથી આરોપીને પકડીને પોલીસે કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરેલ છે અને આરોપીના રીમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News