ચણા-મમરાની જેમ હથિયાર મળે !: મોરબી યાર્ડ સામે બેઠેલા શખ્સની થેલીમાંથી એક પિસ્તોલ-બે તમંચા કબ્જે કરતી પોલીસે મોરબી નજીક હાઇવે રોડે રિક્ષાની રેસ કરતા શખ્સને પોલીસે પકડ્યો મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ચગ પરિવાર માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું મોરબી નજીક અગાઉ ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર કરવામાં પકડાયેલ શખ્સ હવે હથિયાર સાથે માળીયા (મી)માં પકડાયો મોરબી જીલ્લા પોલીસે કોમોમરેશન પરેડ યોજીને શાહિદ પોલીસ જવનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત


SHARE













ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલણપીરની પ્રખ્યાત ધાર્મિક જગ્યા આવેલ છે આ જગ્યાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેના માટેની માંગ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે અને હાલમાં રાજ્યના પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રીને તેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેહડમતીયા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત અનુ.જાતિની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા શ્રી પાલણપીર દાદાની સમાધિના સ્થાને મંદિર આવેલ છે અને ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન દર્શનાર્થીઓ આવે છે તેમ દર ભાદરવા માહિનામાં વદ નોમદસમ અને અગિયારસનો ત્રણ દિવસીય મેળો યોજાઇ છે જેથી લોકો માટે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી આ ધાર્મિક જગ્યાનો વિકાસ કરવો જરૂરી છે જેથી કરીને પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરીને સરકારની ગ્રાન્ટ આપીને ધાર્મિક જગ્યાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News