હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી


SHARE





ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી

ટંકારા નજીક આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવેલ જીરાના જથ્થામાંથી ૬૮ કટ્ટા (કોથળા)ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૮.૧૬ લાખનું જીરું તથા એક વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શિવધારા રેસીડેન્સી ખાતે રહેતા અને ટંકારા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઇઝ નામનું ગોડાઉન ધરાવતા પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણી જાતે પટેલ (ઉંમર ૫૭)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૫/૧૧ ના રોજ રાત્રિના ૯:૩૦ થી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું સટર તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરાના જથ્થામાંથી જીરાના કટ્ટાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૮.૧૬ લાખ રૂપિયાની કિંમતનું જીરું તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા (ઉમર ૯૨) ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News