માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો


SHARE













વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપતા મૂર્તિકારો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગણેશોત્સવ પૂર્વે ગણેશજીની રંગબીરંગી કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવા માટે મૂર્તિકારો દિવસ રાત એક કરી રહ્યા છે.

કોરોના મહામારી ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, ત્યારે દર સાલ આ ઉત્સવ દરમ્યાન વાંકાનેરમાં કારીગરો 400 જેટલી મૂર્તિઓનું સર્જન કરતાં હતાં પરંતુ આ સાલ માત્ર 100 મૂર્તિઓ બનાવી છે, ગાઈડ લાઈન મુજબ ચાર ફૂટની મર્યાદામાં અવનવી કલાત્મક મૂર્તિ બનાવામાં આવી રહી છે જેમાં રૂ. 500 થી 5000 સુધીની કલાત્મક મૂર્તિઓ બનાવાઈ છે, મૂર્તિનાં નિર્માણમાં મુખ્ય કામ મૂર્તિઓને અવનવા કલરથી ઓપ આપવાનું હોય છે જે ખૂબ જ બારીકાઈ સાથે કારીગરો અવનવા રંગોથી ગણેશજીની મનોરમ્ય મૂર્તિઓને આખરી ઓપ આપે છે, કોરોના કાળમાં મંદી ચાલી રહી છે, ત્યારે હાથ વડે જ સુંદર કલાત્મક મૂર્તિઓનું નિર્માણ કરી રહેલા આવા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તે અનિવાર્ય છે.






Latest News