માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા


SHARE













મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા

મોરબીના જોધપર નદી ગામમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બનેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીને ૧૪ માસની સજા ફટકારી છે

વર્ષ ૨૦૧૫ માં ફરિયાદી સંજય દિનેશભાઈ જિંજુવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના લખાવ્યું હતું કે, આરોપીઓએ ઘાતક હથિયાર વડે માર માર્યો હતો અને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપી સાગર જેરાજભાઈ દંતેસરીયા, ધનજી પથુંભાઈ દંતેસરીયા, જેરાજ પથુંભાઈ દંતેસરીયા અને મયુર જેરાજભાઈ દંતેસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીની જુબાની, ઈજા પામનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાને ધ્યાને લઈને આરોપીને ૧૪ માસની સજા અને દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પુજાબેન જોશી અને ફરિયાદ પક્ષે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.






Latest News