મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી


SHARE







મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી

મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને એલઇડી લાઈટો નાખી હતી. જેમાંથી ઘણી લાઈટો દિવસે ચાલુ હોય છે અને ઘણી રાતે પણ બંધ હોય છે જેથી ફરિયાદ સંદર્ભે પાલિકાના રોશની વિભાગના ચેરમેને કોન્ટ્રાક્ટ કંપનીને રીપેરીંગ કરવા તાકીદ કરી હતી. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું નથી જેથી રોશની વિભાગના ચરેમને કોન્ટ્રાક્ટર ગાંઠતો ન હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેન માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાએ હાલમાં ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, શહેરમાં નવી એલઇડી લાઈટો નાખી છે જો કે, લાઈટોનું પાંચ વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાંચ વર્ષ પુરા થાય એ પહેલાં જ ઘણા વિસ્તારોમા લાઈટો બંધ છે અને જયા ચાલુ છે ત્યાં દિવસે પણ બંધ થતી નથી જેથી તેઓએ જવાબદાર કોન્ટ્રાક્ટને રીપેરીંગ કરવાની તાકીદ કરી છે તે પણ લાઈટો બંધ છે તેને ચાલુ કરેલ નથી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે લોકોના રોષનો ભોગ તેઓને બનવું પડે છે 






Latest News