ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી


SHARE













મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેનને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી

મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને એલઇડી લાઈટો નાખી હતી. જેમાંથી ઘણી લાઈટો દિવસે ચાલુ હોય છે અને ઘણી રાતે પણ બંધ હોય છે જેથી ફરિયાદ સંદર્ભે પાલિકાના રોશની વિભાગના ચેરમેને કોન્ટ્રાક્ટ કંપનીને રીપેરીંગ કરવા તાકીદ કરી હતી. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું નથી જેથી રોશની વિભાગના ચરેમને કોન્ટ્રાક્ટર ગાંઠતો ન હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબી પાલિકામાં રોશની વિભાગના ચેરમેન માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાએ હાલમાં ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, શહેરમાં નવી એલઇડી લાઈટો નાખી છે જો કે, લાઈટોનું પાંચ વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાંચ વર્ષ પુરા થાય એ પહેલાં જ ઘણા વિસ્તારોમા લાઈટો બંધ છે અને જયા ચાલુ છે ત્યાં દિવસે પણ બંધ થતી નથી જેથી તેઓએ જવાબદાર કોન્ટ્રાક્ટને રીપેરીંગ કરવાની તાકીદ કરી છે તે પણ લાઈટો બંધ છે તેને ચાલુ કરેલ નથી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે લોકોના રોષનો ભોગ તેઓને બનવું પડે છે 






Latest News