મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE













મોરબી જિલ્લાને કેરોસીન મુકતજિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮ ના રોજ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦નું અમલીકરણ શરૂ કરાયેલ હોય મોરબી જિલ્લામાં અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપપરા જણાવ્યુ છે

વધુમાં માહિતી આપતા ઇન્ચાર્જ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર રાજ્યને કેરોસીન મુકતકરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે. આ માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦અંતર્ગત મોરબી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલીજી ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને કેરોસીન મુકતજિલ્લો બનાવવા માટે અનુરોધ કર્યો છે.






Latest News