મોરબી સિવીલમાં જનરલ સર્જન, ગાયનેક અને હાડકાના ડોકટરની નિમણૂક કરાઇ
SHARE








મોરબી સિવીલમાં જનરલ સર્જન, ગાયનેક અને હાડકાના ડોકટરની નિમણૂક કરાઇ
મોરબી સિવીલ હોસ્પિટલમાં ગાયનેક, હાડકાના ડોકટર અને જનરલ સર્જનની સરકરમાથી નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને ડોક્ટરના અભાવના લીધે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલના જે ડામ લગતા હતા તે હવે નહીં લાગે તેવું મોરબીના સામાજીક કાર્યકરોએ જણાવ્યુ છે
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચએ અગાઉ મોરબી સીવીલ હોસ્પીટલમાં ડોકટરની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆતો કરી હતી અને હાલમાં ગાયનેક, હાડકાના ડોકટર અને જનરલ સર્જનની સરકરમાથી નિમણૂક કરવામાં આવી છે જેમ ડો. મીહીર એન. હોથી (દુરબીનથી આધુનીક ઓપરેશન કરશે) જે પ્રથમ વખત મોરબીમાં શકય બનેલ છે અને તેઓ દ્વારા કોથળીના અંડાશય, કોથળીના મોઢાની ગાંઠના, કોથળી મોટી થઇ હોય તો તેનું અને બાળકોનું ન થયા હોય તેનું ઓપરેશન કરાવેલ હોય અને તેનું રીવર્સ ઓપરેશન કરવું વિગેરે ઓપરેશન કરશે આ સરવારના ખાનગી હોસ્પીટલમાં ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા લેવામાં આવે છે જે સિવિલમાં ફ્રીમાં કરવામાં આવશે તેવી જ રીતે ગાયનેકમાં પણ આ ડોકટર રાત્રીના સમયે પણ ફરજ બજાવશે ઇમરજન્સીમાં પણ ફરજ બજાવશે આ સાથ વિમલભાઇ દેત્રોજા જે જનરલ સર્જન તરીકે ફરજ બજાવવા સિવીલ હોસ્પીટલમાં આવેલ છે જે એપેન્ડીકસ, હરસ, પથરી, ભખંદર જેવા રોગોનું નિદાન કરી આપશે તેમજ હાડકાના ડોક્ટર પણ મોરબી સિવિલમાં મૂકવામાં આવેલ છે જો કે, હોસ્પીટલમાં હજુ ચામડીના ડોકટરની જગ્યા ખાલી પડેલ છે તો ચામડીના ડોકટરની નિમણુંક થઇ જાય તો દર્દીઓને તેની પણ સારવાર ફ્રીમાં મળી રહેશે આ સીવીલ હોસ્પીટલમાં સોનોગ્રાફીના મશીન ધણા લાંબા સમયથી બંધ હોય જે ચાલુ કરવામાં આવે તો તેનો પણ દર્દીઓને લાભ મળશે જેથી તેને તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે
