નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન


SHARE





મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન

આજની તારીખે સમગ્ર વિશ્વએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે. ત્યારે આગામી રવિવારે તા ૫ ના રોજ રોટરી કલબ મોરબી તથા રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા રવિવારે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવલે સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે અને તેમાં અમેરલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા દર્દીઓના જટીલ રોગોનું નાડી પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવશે અને માર્ગદર્શન આપીને ઇલાજ કરવામાં આવશે આ કેમ્પમાં દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે આ અંગે રોટરી કલબ મોરબીના પ્રમુખ અશોકભાઈ મહેતા અને મંત્રી રષેશભાઈ મહેતાએ જણાવ્યુ છે કે, જુના અને હઠીલા રોગની સારવાર માટે દર્દીએ કેમ્પનો લાભ લેવાની જરૂર છે ખાસ કરીને હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વા ની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબીટીસ જેવા રોગની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેઓએ આ કેમ્પની અચુક મુલાકાત લેવાણી જરૂર છે અને આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ કેસ અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬), રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તથા (૬૩૫૬૩ ૫૧૧૧૫) નો સંપર્ક કરવાનો રહેશે




Latest News