મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે


SHARE









મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર મોરબી ચૂંટણી શાખા દ્વારા મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.


આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંકલિત મતદારયાદીના મુસદ્દા અન્વયે તારીખ ૨૦-૦૪-૨૦૨૩ સુધી હક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકાશે. આ હક-દાવા તથા વાંધા અરજીનો તારીખ ૨૮-૦૪-૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની કામગીરી તેમજ ડેટાબેઝને અદ્યતન કરવાની અને પૂરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તારીખ ૦૪-૦૫-૨૦૨૩ સુધીમાં કરવામાં આવનાર છે. જ્યારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ ૧૦-૦૫-૨૦૨૩ ના કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે.

આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઈ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. તંદુરસ્ત મતદારયાદી થાય તૈયાર થાય તે માટે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.






Latest News