માળીયા (મી) નાં સરદારનગરમાં કથામાં રામસીતાના વિવાહમાં જૂની પરંપરા મુજબ ગાડામાં જાન આવી
મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા યોજાઈ
SHARE
મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા યોજાઈ
મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની ૮૨ મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતેથી લાલાબાપાની શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી જે વાજતે ગાજતે મોરબીના ગ્રીન ચોક, નહેરૂ ગેઇટ ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ડીજે અને આતિશબાજી કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રામાં મોચી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોચી સમાજના આગેવાનો સહિતઓએ ભારે જહેમત ઉઠાવી હતી.