માળીયા (મી) નાં સરદારનગરમાં કથામાં રામસીતાના વિવાહમાં જૂની પરંપરા મુજબ ગાડામાં જાન આવી
SHARE
માળીયા (મી) નાં સરદારનગરમાં કથામાં રામસીતાના વિવાહમાં જૂની પરંપરા મુજબ ગાડામાં જાન આવી
માળીયા મિયાણા તાલુકાનાં સરદારનગરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામસીતાના વિવાહનો પ્રસંગ જૂની પરંપરા મુજબ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારે ગાડામાં જાન આવી હતી જેથી કરીને આખું ગામ જાન જોવા માટે આવ્યું હતું
માળીયા મિયાણા તાલુકાનાં સરદારનગર (સરવડ) ગામે રાવલ પરિવાર તથા સમસ્ત ગામ લોકો દ્વારા આયોજિત કથામાં રામસીતા વિવાહના પ્રસંગની ઊજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી અને આ તકે જુનવાણી સમયમાં ગાડા જોડી જાન જતી તે જ રીતે રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. જેમાં ભરતભાઇ બાબરીયાની દીકરી રામ બની હતી અને તેના ઘેરથી જાન ગાડાઓ સાથે નીકળી હતી. તે જોવા આખું ગામ એકઠું થયું હતું ત્યારે દેશી ઢોલના અવાજમાં લગ્નગીતો ગવાણા હતા અને મંડપ નીચે ફટાણાની રમઝટ બોલી હતી અત્યારના ઠાઠમાઠના લગ્ન સમયમાં જુનવાણી રીત રિવાજની યાદ લોકોને આ કથામાં તાજી થઈ ગઈ હતી. અને લગ્નવિધિની સાથે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું