મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતા પરિવારના એકના એક દીકરાએ સરકારી નોકરી નહિ મળે તેવા ટેન્શનમાં કર્યો આપઘાત


SHARE













વાંકાનેરમાં રહેતા પરિવારના એકના એક દીકરાએ સરકારી નોકરી નહિ મળે તેવા ટેન્શનમાં કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો યુવાને જુનિયર કલાર્કની પરીક્ષા આપી હતી જો કે, સરકારી નોકરી મળશે કે નહીં તેને લઈને ટેન્શનમાં આવી ગયો હતો અને તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાતી ચલાવતા ભરતભાઈ ખાંડેખાના દીકરા અજય ભરતભાઈ ખાંડેખા (૨૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા પ્રદિપસિંહ ઝાલા અને તેના રાઇટર રાજુભાઈ ગઢવી પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા સરકાર દ્વારા લેવામાં આવેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા અજયે આપી હતી અને ઇન્ટરનેટ ઉપર તેના પ્રશ્નોના જવાબ મૂક્યા હતા જેને ચેક કરતા આ પરીક્ષામાં સફળતા નહીં મળે અને સરકારી નોકરી મળશે કે નહીં તેવી ટેન્શનમાં આવી ગયો હતો અને તે યુવાને નાસીપાસ થઈ જતાં તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને એકના એક દીકરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે






Latest News