મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE













ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં બાળકોનું ધડતર અને ભણતર કરવામાં બે દશકાઓ કમર કસી છે એવા એલ.વી. કગથરા વય મર્યાદાના લીધે નિવૃત થતાં તેનો શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો તેઓએ આચાર્ય સંધના જીલ્લા પ્રમુખ, પરીક્ષા સમિતિના પ્રમુખ, જિલ્લા કર્મચારી ગ્રાહક ધિરાણ સમિતિના પ્રમુખ સાથે વિધાર્થીના વાહ્લસોયા તરીકે ઉમદા ફરજ અદા કરી હતી. આ વિદય સમારોહમાં ગુરૂકુલના આચાર્ય  રામદેવજી, જિલ્લા પ્રા.શિ.અધિકારી પ્રવીણ અંબારિયાના, જિલ્લા આચાર્ય સંઘના વર્તમાન પ્રમુખ સરસાવડીયા, ઉપપ્રમુખ એન.એચ. દેથરીયા, મહામંત્રી સંજીવભાઈ જાવિયા, પરીક્ષા સમિતિના અધ્યક્ષ જે.એચ. સંઘવી, રાજ્ય આચાર્ય સંઘ  મહિલા સંગઠન મંત્રી સરોજબેન પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર અમરશીભાઈ ચંદ્રાલા, ટ્રસ્ટીગણના કે.કે.મેરજા, જગદીશ પનારા, જગદીશ કકાસણીયા, હર્ષદરાય કંસારા ટંકારા અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી શાળા પરીવાર  વિદ્યાર્થી ભાઈ બહેનો વિશેષ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે સંચાલક મંડળ, સ્ટાફગણ, ઉપસ્થિત અગ્રણી મહાનુભાવો દ્વારા સન્માન પત્ર, શાલ ઓઢાડીને યાદગાર ભેટ તથા નિવૃત્તીના વર્ષ  સ્વસ્થ શરીર સાથે સુખ શાંતિથી પસાર થાય એવી શુભેચ્છા પાઠવી હતી.








Latest News