હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ


SHARE













વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા દંપતીએ પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સોનલબેન રામજીભાઈ ચૌહાણ (૩૮) અને રામજીભાઈ ગાંડુભાઈ ચૌહાણ (૪૨) એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે રાજકોટ ખાતે તે બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોય આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક દંપતિ મૂળ ગઢડાનું રહેવાસી છે અને તેને ચાર સંતાન છે અને તે પૈકીના બે દીકરા સિરામિક કારખાનામાં નોકરી કરતા હતા અને એક દીકરી તેમજ દીકરો તેની સાથે રહેતા હતા જોકે કયા કારણસર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેનું ચોક્કસ કોઈ કારણ હજુ સામે આવેલ નથી.






Latest News