વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ
મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું કારણ અકબંધ
SHARE
મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું કારણ અકબંધ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા વિવેકભાઈ ઉર્ફે વિકી રાજુભાઈ નાવડે (૧૮) નામના યુવાને લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાની જાતે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ મનસારામ રમેશભાઈ આદિવાસી (૨૯) તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.