મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડ લક્ષ્મીનગર ગામે દૂધ લેવા માટે જતા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું આ બનાવમાં મૃતકના દીકરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબીના સામાકાંઠે આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અને દૂધનો ધંધો કરતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણી જાતે પટેલ (૫૦) શનિવારે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘરેથી તેઓ દૂધનો ધંધો કરતા હોય દૂધ લેવા માટે લક્ષ્મીનગર ગામ બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે માળિયા હાઇવે ઉપર આવેલ બસ સ્ટેશન નજીક તેઓના બાઇક નંબર જીજે ૩ એફએલ ૧૫૪૫ ને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું. જેથી ઘટના સ્થળે જ કિરણભાઈ નરસીભાઈ ભોજાણીનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા નીલ કિરણભાઈ ભોજાણી (૨૨) એ ટ્રક નંબર જીજે ૧૨ એયું ૫૮૦૧ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News