હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે ફેફસાની બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા વૃદ્ધે પોતાની ફેફસાની બીમારીથી કંટાળી જઈને પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતકના દીકરાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા જાતે પટેલ (૭૫)એ પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના દીકરા ભાવેશભાઈ જેરામભાઈ સરડવા (૩૪) રહે.  સરવડ વાળાએ માળિયા તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધને ફેફસાની બીમારી હોય તેને બીમારીથી કંટાળી જઈને પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ હાજીઅલી ચેમ્બર પાસે બદરે આલમ તમીજુદ્દીન (૬૦) રહે, ધિયાવાડ  તાલુકો વાંકાનેર વાળા કુદરતી કારણોસર બેભાન થઈ જતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અબ્દુલ કાદિર લઈને આવ્યા હતા અને ત્યાં બદરે આલમ તમીજુદ્દીનને જોઈ તપાસીને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News