મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે મારકૂટની નોંધાવી ફરિયાદ
મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી
SHARE
મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી
મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના ભચાદર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં ભાડે રહેતા જયરાજભાઈ કથુભાઈ લેયા જાતે કાઠી દરબાર (૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાનો બાઈક નંબર જીજે ૨૩ એસ ૫૦૫૪ ને પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે.
વૃદ્ધનું મોત
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હરીસિંહ ભગતસિંહ ઝાલા જાતે દરબાર (૬૫) કોઈપણ કારણોસર ઘરે મૃત્યુ પામતા તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા બાદમાં આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.