માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત


SHARE













મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત

મોરબી જિલ્લાના ખેડૂતોની સિચાઈની સુવિધામાં વધારો કરવા માટે ખેડૂતોની વર્ષોથી માંગ કરી રહયા હતા ત્યારે અધતન નમૂનારૂપ સિંચાઈ સદન મોરબીમાં બનાવ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાલમાં સરકારમાં રજૂઆત કરી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં હાલમાં રજુઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવેલ છે અને નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે આ ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં કાર્યરત છે જેથી સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો અને લાભાર્થીઓને હેરાન થવું પડે છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૬-૧૭ માં રજૂઆત કરેલ હતી અને મોરબીના વજેપર માધાપર સર્વે નં. ૧૧૪૧ ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે જે પચાવવાના કારસાને નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીઓ આવી જાય તે માટે સિંચાઈ સદન બનાવવા મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે.






Latest News