મોરબી જિલ્લામાં ડેમ અને દરિયાઈ પટ્ટી સહિત ૮૮ સ્થળો પાસે ડ્રોન ઉડાડવાની મનાઈ
મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત
SHARE
મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત
મોરબી જિલ્લાના ખેડૂતોની સિચાઈની સુવિધામાં વધારો કરવા માટે ખેડૂતોની વર્ષોથી માંગ કરી રહયા હતા ત્યારે અધતન નમૂનારૂપ સિંચાઈ સદન મોરબીમાં બનાવ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાલમાં સરકારમાં રજૂઆત કરી છે
મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં હાલમાં રજુઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવેલ છે અને નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે આ ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં કાર્યરત છે જેથી સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો અને લાભાર્થીઓને હેરાન થવું પડે છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૬-૧૭ માં રજૂઆત કરેલ હતી અને મોરબીના વજેપર માધાપર સર્વે નં. ૧૧૪૧ ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે જે પચાવવાના કારસાને નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીઓ આવી જાય તે માટે સિંચાઈ સદન બનાવવા મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે.