મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત
મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત
SHARE
મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત
મોરબીની અવની ચોકડી ચોમાસામાં બેટમાં ફેરવાઇ જાય છે ત્યારે લોકોની આ વર્ષો જૂની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને તેનું ગુરૂવારે ખાતમહૂર્ત કરવામાં આવશે
મોરબીની અવની ચોકડીએ ચોમાસામા વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે આ પ્રશ્નને ઉકેલવા માટે સ્થાનિક સોસાયટીના લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને વરસાદી પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવા માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આગામી પહેલી તારીખે સવારે સાડા નવ વાગ્યે અવની ચોકડીએ પાઇપ લાઇન નાખવાના કામનું ખાતમહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા સહિત આગેવાનોની હાજર રહેશે