મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા તાલુકાના ચાર રોડ માટેનું કામ મંજૂર


SHARE















મોરબી અને માળિયા તાલુકાના ચાર રોડ માટેનું કામ મંજૂર

મોરબી અને માળિયા તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે હાલમાં મોરબી અને માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આ બંને તાલુકાનાં નવા ચાર રોડ માટેના કામને મંજુરી આપવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ધરમપુર સાદુળકા વચ્ચેનો ૪ કિલોમીટરનો રોડ ૧.૮૦ કરોડ, એન.એચ. ટૂ અમરનગર એપ્રોચ રોડ ૦.૮૦ કિમી ૯૦ લાખ, એસ.એચથી નાના દહીંસરા અને વીરપરડાનો બે કિલોમીટરનો રોડ ૬૦ લાખ અને એન.એચ. ટૂ રવાપર (નદી) એપ્રોચ રોડ ૫ કિલોમીટરનો રોડ ૧.૭૦ લાખ મંજૂર કરવામાં આવેલ છે આ ચાર રોડના કામ માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે આ ચાર રોડ માટે કુલ મળીને ૫ કરોડ મંજૂર કરવામાં આવેલ છે અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા જોબ નંબર આપવામાં આવ્યા છે ત્યારે જેથી ધારાસભ્ય કાંતિભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે






Latest News